પૂર્વ કોંગ્રેસ નેતાએ કર્યો મોટો ધડાકો: રામ મંદિર વિશે કહી દીધી આ મોટી વાત...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06052024_125331_Pramood Kisan.webp)
- 06 May, 2024
પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિશનમે સોમવારે એક મોટો દાવો કર્યો છે. પ્રમોદે જણાવ્યું કે એક બેઠકમાં રાહુલ એવી વાત કહી હતી કે જો તેઓ કેન્દ્રમાં સત્તામાં આવશે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ બદલી નાંખશે. જેના પગલે હાલ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. વધુમાં તેમણે દાવો કરતા કહ્યું કે મેં કોંગ્રેસમાં 32 વર્ષ જેટલો સમય પસાર કર્યો છે.
તેમણે આ વાત ક્યારે કરવામાં આવી તે અંગે વિગતે કહ્યું હતું કે જ્યારે રામ મંદિર અંગેનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે તેમણે તેમના એક નજીકના વ્યક્તિને એક બેઠકમાં આ વાત કહી હતી. તેમણે આ વાત કહેતા એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રાજીવ ગાંધીએ જે રીતે સુપ્રીમ કોર્ટનો શાહ બાનો કેસનો ચુકાદો બદલ્યો હતો, તે જ રીતે તેઓ રામ મંદિરના ચુકાદા માટે કરશે જો કેન્દ્રમાં કોંગ્રેસ આવશે તો.
પૂર્વ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે રાહુલે તેમના એક અમેરિકાના પ્રશંસકના વિચારની પ્રશંસા કરી હતી. કદાચ તે વ્યક્તિ ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસ ચેરમેન શ્યામ પિત્રોડા હોઈ શકે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે રામ મંદિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુ્લ્લું મુકવામાં આવવાનું હતું, ત્યારે દેશમાં રામ મંદિરને ખુલ્લું મુકવા અંગે વધુ પડતો દેખાડો થઈ રહ્યો હોવાની વાત કહીને પિત્રોડાએ કટાક્ષ કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ